Thursday, March 16, 2017

રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા...-inf. by Ashok Hindocha

રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા...: રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા.....

 




Samachar Rajkot
News of Thursday, 16th March, 2017
રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા
માતૃગયામાં
સર્વ જ્ઞાતિ ૧૧૦૦૦ પોથી કથાનું વિરાટ આયોજનઃ તા. રપ ઓકટો.થી ૧ નવેમ્બર
દરમિયાન માતૃગયા-સિધ્ધપુરમાં કથા યોજાશેઃ ચોટીલા જલારામ ધામે વિશ્વસ્તરીય
યુવા મેળાનું પણ આયોજન
રઘુવંશી મહાપરિષદ દ્વારા પૂ.ભાઇજીના વ્યાસાસને કથા

   રઘુવંશી અગ્રણીઓ ડો. હર્ષદભાઇ ખખ્ખર, વીણાબેન પાંધી, કાશ્મીરાબેન નથવાણી, મિતલ ખેતાણી, નીતિનભાઇ રાયચુરા, સુરેશભાઇ ચંદારાણા, યોગેશભાઇ પૂજારા, શૈલેષભાઇ ગણાત્રા, હસુભાઇ ભગદે  વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
   રાજકોટ, તા.
૧૬ : લોહાણા મહાપરિષદ દ્વારા ૧૧૦૦૦ પોથી ભાગવત કથા તથા યુવામેળાનું વિરાટ
આયોજન થયું છે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અગ્રણીઓ નીતિનભાઇ
રાયચુરા-કાશ્મીરાબેન નથવાણી સહિતના આગેવાનોએ માહિતી આપી હતી.
   સમગ્ર વિશ્વના ૩૦ લાખ રઘુવંશીઓની વૈશ્વિક અને ૧૧૮ વર્ષ જુની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા અનેકવિધ સેવાકીય, સામાજીક, મેડીકલ, શૈક્ષણિક, ધાર્મિક, સંગઠનાત્મક અને જ્ઞાતિસેવાના કાર્યક્રમો શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ કોટક, ગર્વનર યોગેશભાઇ લાખાણી, વાઇસ ગર્વનર પરેશભાઇ ભુપતાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ ઉમંગભાઇ ઠક્કર, મંત્રીઓ હિમાંશુભાઇ ઠક્કર અને પિયુષભાઇ ગંઠા, ખજાનચી હિંમતભાઇ કોટક અને સાથી ટીમના માર્ગદર્શનમાં સતત કરવામાં આવે છે.
   માતૃતિર્થ સિદ્ધપુર મુકામે, ઓકટોબર મહિનામાં પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખે, માતૃતર્પણ અર્થે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ. સર્વજ્ઞાતિના ભાવિકોની ૧૧ હજાર પોથીનું દિવ્ય આયોજન.
   શ્રી
લોહાણા મહાપરિષદરઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત સમગ્ર વિશ્વની માતૃશકિતઓને
સમર્પિત દિવગંત માતાઓના સ્મરણાર્થે તથા હયાત માતાઓના શ્રેયાર્થે પ.પૂ.
ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના શ્રીમુખે સાર્વજનિક શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ
, પ્રારંભ કારતક સુદ પાંચમ ને તા. રપ ઓકટોબર, ર૦૧૭ બુધવારના રોજ (લાભ પાંચમ) અને પૂર્ણાહુતિ : કારતક સુદ બારસને તા. ૧ નવેમ્બર, ર૦૧૭ બુધવાર (બારસ), શુભસ્થળ : માતૃગયા તીર્થ સિદ્ધપુર, જિ. પાટણ, ગુજરાત) ખાતે કરાયું છે.
   શ્રીમદ્
ભાગવત જ્ઞાનયજ્ઞના આ વિશેષ આયોજનમાં કથા શ્રવણ માટે દેશ-વિદેશમાંથી પધારતા
રઘુવંશી તેમજ અન્ય સમાજના સભ્યો માટે બપોરે કથાવિરામ બાદ ભોજન પ્રસાદની
વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ઉતારા/ રહેણાંકની વ્યવસ્થા તમામ સભ્યોએ
સ્વખર્ચે કરવાની રહશે. આ અંગેના તમામ વિકલ્પો જેવા કે ટેન્ટ/ હોટલો/સંસ્થાઓ
તથા સંલગ્ન ખર્ચની વિગતો તથા બુકીંગ માટેના નંબરો મહાપરિષદની વેબસાઇટ પર
તથા પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવશે. પોથી યજમાન દ્વારા મળેલા રૂ.
૧૧૦૦૦/-ના અનુદાનમાં માતૃમંદિર નિર્માણ
, દરરોજ ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોકત રીતે ધ્યાન-પૂજા, અંતિમ દિવસે માતૃતર્પણની વીધી તથા આ
   નિર્માણ, દરરોજ ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોકત રીતે ધ્યાન-પૂજા, અંતિમ
દિવસે માતૃતર્પણની વિધી તથા આ તમામ દિવસો દરમ્યાન બંને સમયે ભોજન પ્રસાદની
વ્યવસ્થા સામેલ છે. કથાના તમામ દિવસો દરમ્યાન વિશેષ રીતે નિર્માણ કરાયેલ
પોથી મંદિરનું પૂજન ઋષિકુમારો દ્વારા તથા અંતિમ દિવસે તર્પણવિધી પૂ.
ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં કરાવવામાં આવશે.
   અનુદાન યોજના (૧) ૧૧,૦૦૦ પોથી યજમાન માતૃતર્પણનું અનુદાન (ર) ૧,૦૮,૧૧૧ યજ્ઞમાં બેસવા ઇચ્છતા પરિવારો માટે અનુદાન (તા. ૧ નવેમ્બર, ર૦૧૭), (૩) ૧૧,૧૧,૧૧૧ કથા દરમિયાન ભોજન પ્રસાદના દૈનિક યજમાન (૪) પ,૧૧,૧૧૧ કથાના ઉત્સવોના યજમાન (૧) કૃષ્ણ જન્મોત્સવ (ર) ગોવર્ધન પૂજા (૩) રૂક્ષ્મણી વિવાહ, (પ) ર૧,૧૧,૧૧૧ જલારામ જયંતિ મહોત્સવ ર૭ ઓકટોબર ર૦૧૭, ર૦૧૭ ને કારતક સુદ સાતમના રોજ માટે યજમાન.
   આ અવસરમાં અન્ય રીતે પોતાનું યોગદાન ઇચ્છતા ભકતો માતૃસંસ્થાના વરિષ્ઠ હોદેદારોનો સંપર્ક કરી શકે છે.
   બેંકની વિગતઃ અનુદાનનો ચેક આરટીસી શ્રીમદ ભાગવત કથા સમિતિના નામનો લખવો બેંકનું નામઃ કોટક મહિન્દ્રા બેંક, ખાતાનું નામઃ આરસીટી શ્રીમદ ભાગવત કથા સમિતી, ખાતા નં. ૦પ૧ર૪૩૯૬૪૦,  આઇએફએસ કોડ કેકેઆરકે. ૦૦૦રપ૮ર
   વિશેષ વિગતો માટે શ્રી લોહાણા મહાપરિષદના અમધ્યસ્થ કાર્યાલય (શ્રી લોહાણા મહાપરિષદ ઇસ્કોન મેગા મોલ, સેલર, એકઝીટ ગેટ પાસે, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસ. જી. હાઇવે અમદાવાદ, ફોન નં. (૦૭૯) ૪૦૦૯૧૦૦પ, ૯૯૦૯૯૯૯૩૦૯,  Email: rctbhagvat@gmail.com Website www. Iohanamahaparishad.org  પર સંપર્ક કરવા જણાવાયું છે.
   મહાપરિષદ દ્વારા થેલેસેમીયા નાબુદી અભિયાન
   થેલેસેમિયા એ લોહીનો વારસાગત અને અસાધ્ય તેમજ અતિ ખર્ચાળ, પીડા દાયક, જાન
લેવા રોગ છે. આ રોગ માતા-પિતાની અજાણતા રહી ગયેલી અજ્ઞાનતા તેમજ લગ્ન
પહેલા ન કરાવેલા થેલેસેમીયા ટેસ્ટના હિસાબે બાળકોમાં જોવા મળે છે
, જેથી
બાળકો આ રોગ સાથે જ જન્મે છે. થેલેસેમીયા પીડીત બાળકોને જીવનભર (અતિ
મર્યાદિત આયુષ્ય) દર મહિને બે થી ચાર વાર લોહી ચડાવવું પડે છે
, મોંઘી દવાઓ લેવી પડે છે. ઇન્જેકશનો લેવા પડે છે, જે સારવારનો ખર્ચ દર મહિને રૂ. ૮,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ નો થાય છે.
   થેલેસેમીયા નાબુદી અંગે રઘુવંશી અગ્રણીઓ દ્વારા સર્વસંમતીથી ઐતિહાસીક, ક્રાંતીકારી
કદમ ઉઠાવવામાં આવ્યો છે રઘુવંશીઓના તમામ મેરેજ બ્યુરોના સંચાલકોએ પોત
પોતાને ત્યા થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેવા અપરીણીત યુવક-યુવતીઓના
બાયોડેટાજ સ્વીકારવાની જાહેરાત કરી છ.ે થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ
નિઃશુલ્ક શ્રી રઘુવંશી વેવિશાળ મેરેજ બ્યુરો માહીતી કેન્દ્રમાં પ્રવેશ
અપાશે. વેવિશાળ મેરેજ બ્યુરો માહીતી કેન્દ્રમાં પ્રવેશ અપાશે વેવિશાળ
માહીતી માર્ગદર્શન અપાશે તેવી જાહેરાત કરી છે. આ નિયમનું અત્યંત કડક
અમલીકરણ કરાશે. રઘુવંશી સમાજના વ્યાપક હિત માટે જ
, આ નિર્ણય નાછુટકે લેવો પડયો છે. થેલેસેમીયા નાબુદી અભિયાનમાં સૌ કોઇ સહકાર આપે તેવી પ્રાર્થના કરાઇ છે.
   થેલેસેમીયા અંગે વિશેષ માહિતી માટે શ્રી લોહાણા મહાપરીષદના સયુંકત મંત્રી મિતલ ખેતાણી (મો.૯૮ર૪ર ર૧૯૯૯), થેલેસેમીયા સમીતીના અધ્યક્ષ ડો. રમેશભાઇ ભાયાણી (મો.૯૪ર૮૧ પ૮૯૮૯) નો સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.
   મહાપરીષદ દ્વારા અંગદાન જાગૃતિ અભિયાન
   સને ર૦૧૭નું આ વર્ષ શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ દ્વારા 'અંગદાન જાગૃતિ વર્ષ' તરીકે ઘોષીત થયું છે. યુવાનીમાં રકતદાન, મૃત્યુ બાદ નેત્રદાન, દેહદાન, અંગદાન, શ્રી લોહાણા મહાપરીષદના પ્રમુખ પ્રવિણભાઇ કોટક, મંત્રી હિમાંશુભાઇ ઠકકરે 'અંગદાન' નો સંકલ્પ કરી 'અંગદાન જાગૃતિ વર્ષ ર૦૧૭'' નો શુભારંભ કરાયો છે અને સૌ જ્ઞાતીજનોને તેમજ સમગ્ર સમાજને અંગદાન થકી જીવનદાન આપવાના આ મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરી છે.
   વિશ્વના રઘુવંશી સંસ્થાઓ, મહાજનોના
સથવારે આ વર્ષમાં મહાપરીષદ દ્વારા પ૧ હજાર વ્યકિતઓનો પુણ્ય સંકલ્પ અંગદાન
અર્થે કરાશે. અંગદાન અંગેની વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી
મો.૯૮ર૪ર-ર૧૯૯૯ પર સંપર્ક કરવા જણાવાયુ છે.
   તા.૧ર-૧૩ મે ર૦૧૭ના રોજ જલારામ ધામ ચોટીલા ખાતે શ્રી લોહાણા મહાપરિષદની લગ્નવિષયક સમિતિના ચેરમેન હસમુખભાઇ દાવડા, આયોજન સંકલક ધીરૂભાઇ રાજા, પ્રોજેકટ
ચેરમને યોગેશભાઇ અનડકટ તથા સાથી ટીમ દ્વારા રઘુવંશી જ્ઞાતિના ફકત સ્નાતક
અને અનુસ્નાતક કક્ષાના ઉમેદવારો માટે અપરિણિત યુવક-યુવતીઓ માટે જીવનસાથી
પસંદગી પરિચય મેળો યોજાશે. આ પરિચય મેળામાં અંદાજે ૧પ૦૦ જેટલા ઉમેદવારો તથા
તેમના માતા-પિતાઓને વહેલા તે પહેલાના ધોરણે યોગ્ય પસંદગી માટે માધ્યમ પુરૂ
પડાશે. ફકત સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉમેદવારો માટે જ આયોજીત આ પરિચય
મેળામાં બે વખત ભોજનપ્રસાદ
, અલ્પાહાર
તથા સમગ્ર આયોજન શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા દાતાશ્રીઓના સાથ-સહકારથી
કરાશે. આ પરિચય મેળામાં ભાગ લેવા ઇચ્છતા સભ્યો માટે રજીસ્ટ્રેશન ફોર્મ
માતૃસંસ્થા વેબસાઇટ
www.lohanamaparishad.org. મહાજશ્રીઓ તથા જ્ઞાતિ સંસ્થાઓના પ્રમુશ્રીઓ, હોદેદારો તથા શ્રી લોહાણા મહાપરિષદના હોદેદારો પાસે ઉપલબ્ધ છે. સુવાચ્ય અક્ષરે સંપુર્ણ વિગતો સાથે ભરેલ ફોર્મ, કલર ફોટા તથા રજીસ્ટ્રેશન માટે રૂ.૧પ૦૦ (ચેક અથવા રોકડા) શ્રી લોહાણા મહાપરિષદ મધ્યસ્થ કાર્યાલય (શ્રી લોહાણા મહાપરિષદ, ઇસ્કોન મેગા મોલ, સેલર, એકઝીટ ગેટ પાસે, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસ.જી.હાઇવે, અમદાવાદ, ફોન
નં. (૦૭૯) ૪૦૦૯૧૦૦પ ઉપર પહોંચાડવાની છેલ્લી તા.૩૦ માર્ચ ર૦૧૭ રહેશે. પરિચય
મેળાના દિવસે રૂ.પ૦૦ના મુલ્યનું બાયોડેટાનું કલર પુસ્તક તથા અન્ય સાહિત્ય
રજીસ્ટ્રેશન કાઉન્ટર પરથી આપવામાં આવશે તા રૂ.૧૦૦૦ દિકરા-દિકરીની
ઉપસ્થિતિનું રજીસ્ટ્રેશન થયે કીટ સાથે પરત આપવામાં આવશે. આ કાર્યક્રમમાં
ઉમેદવારની હાજરી અનિવાર્યપણે આવશ્યક છે. જો સભ્યની ઉપસ્થિતિ નહી હોય તો
રૂ.૧૦૦૦ પરત મળશે નહી અને આ રકમની શ્રી લોહાણા મહાપરિષદના આરોગ્ય-શિક્ષણના
સેવાકાર્ય ખાતે જમા લઇ તેની પહોંચ રજીસ્ટ્રેશન ફોર્મમાં જણાવેલ સરનામા ઉપર
બાયોડેટાના પુસ્તક સાથે કુરીયરથી મોકલી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આયોજન
અંગે સૌ ઉમેદવારોના પરિવારોને માહિતગાર કરવા વિનંતી કરાઇ છે.
   શ્રી
લોહાણા મહાપરિષદના અનેકવિધ કાર્યક્રમોની માહિતી આપવા યોજાયેલ પત્રકાર
પરિષદમાં લોહાણા મહાપરિષદના રાજકોટ સ્થિત ટ્રસ્ટીઓ શ્રી હર્ષદભાઇ ખખ્ખર
, સુશ્રી વીણાબેન પાંધી, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ અને લોહાણા મહાપરિષદના જોઇન્ટ સેક્રેટરી કાશ્મીરાબેન નથવાણી તથા મિતલ ખેતાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (સંગઠન) નીતિનભાઇ રાયચુરા, સૌરાષ્ટ્ર વિભાગના સુરેશભાઇ ચંદારાણા, શૈલેષભાઇ ગણાત્રા, યોગેશભાઇ પુજારા, હસુભાઇ ભગદે, શ્રીમતી શીલ્પાબેન પુજારા, થેલેસેમીયા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રમેશભાઇ ભાયાણી, અશોકભાઇ હીંડોચા, નીતિનભાઇ નથવાણી, ભરતભાઇ
રેલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હૈદ્રાબાદથી શ્રી
લોહાણા મહાપરિષદની લગ્નવિષયક સમિતિના અધ્યક્ષ હસમુખભાઇ દાવડા
, અમદાવાદથી શ્રી લોહાણા મહાપરિષદના હર્ષદભાઇ ઠક્કર, ભરતભાઇ
માવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોથી નોંધાવવા માટે શ્રી રાજકોટ
લોહાણા મહાજનવાડી તેમજ જ્ઞાતિની અન્ય સંસ્થાઓનો સર્પક કરવા અનુરોધ કરાયો
છે. સમગ્ર પત્રકાર પરિષદનું સંચાલન શ્રી લોહાણા મહાપરિષદના જોઇન્ટ
સેક્રેટરી મિત્તલ ખેતાણીએ કર્યુ હતુ.(૩-૧૭)
 (03:57 pm IST)
 
Share This News
 www.ashokhindocha.blogspot.com M-94262 54999

No comments: