Tuesday, August 25, 2015

હોસ્પિટલોમાં દરરોજ 200 ટિફીનપહોંચાડવાનો સેવા યજ્ઞ -inf by- www.ashokhindocha.blogspot.com M-94262 54999

હોસ્પિટલોમાં દરરોજ 200 ટિફીનપહોંચાડવાનો સેવા યજ્ઞ 
www.ashokhindocha.blogspot.com M-94262 54999
Inline image

વલસાડ: વર્તમાન સમયે કોઇ આંસુ પાડે છે, કોઇ આસું પડાવે છે, તો કોઇ આસું લુછે છે. ત્યારે આસું લુછવાના ભગિરથ કાર્યમા સેવાકિય પ્રવૃતી દ્વારા સુવાસ ફેલાવી રહેલી વલસાડમાં રહેતી પ્રજ્ઞાબેન રાજા નામની સંવેદનશીલ મહિલા સરકારી સહાય વિના ધરમપુરની 8 હોસ્પિટલોમાં દાખલ ગરીબ દર્દીઓ માટે ભેદભાવ વિના તેમણે બનાવેલા અપના ઘરમાંથી  મફત ટિફિન સેવા ઉપલબ્ધ કરાવે છે. પ્રજ્ઞાબેનને મળતા પ્રથમતો તેઓ મોર્ડન ફેશનેબલ મહિલાજ લાગે પરતંુ તેમના કાર્યો  જાણ્યા બાદ તેમના માટે માનના લાગણી ઉદભવે છે. ટીફિન સેવાની સાથે  આદિવાસી સમાજમાં સમુહ લગ્ન, પાણીની સુવિધા, સોલાર લાઇટની સુવિધાઓ સહિતની સેવાકિય પ્રવૃતિઓ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે.મુળ સૌરાષ્ટના ભાયાવદર ગામના પ્રજ્ઞાબેનને આજે ધરમપુર-કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના લોકો બખુબી ઓળખે છે. લગ્ન બાદ તેઓ તેમના પતિ સાથે ધરમપુરમાં આવ્યા,અને ભાડે ઘર રાખીને તેમની જીવનને આગળ ધપાવ્યો. જોકે પરિસ્થિતી વિકટ થતા લગ્નના દાગીના વેચીને નાની દુકાન લીધી, જેમા આગળના ભાગમાં મેડિકલ સ્ટોર્સ શરૂ કર્યંુ અને પાછળ અમારૂ ધર વસાવ્યુ. તે  સમયે ધરમપુરની હોસ્પીટલોમાં દાખલ થતા ગામડાના દર્દીઓ માટે અને તેમની સાથેના પરિજનો માટે ભોજનની સુવિધા ન હોવા ઉપરાંત તેમની આર્થિક પરિસ્તથિ પણ સારી ન હોય,ભૂખ શું હોય, સમસાયાઓ શું હોય એ તેમણે અનુભવ્યંુ હતુ,તેથી તેઓ હોટેલમાથી પણ ભોજન લઇ ન શકે તેવી વાત તેમની પાસેથી જણ્યા બાદ મનોમન નકકી કર્યંુ કે બસ હવે આ લોકો માટે કઇક કરવુ છે.અને તે સમયે માત્ર એક હોસ્પીટલમા ટીફીન સેવા આપવાની શરૂઆત કરી હતી.

સ્થાપેલા જલારામ માનવ ઉત્ક્રષ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ હાલે ધરમપુરની તમામ હોસ્પીટલોમા દાખલ થતા  દર્દીઓ માટે  બંને ટાઇમ 300થી વધુ વ્યકિતઓ જમી શકે તે માટે 200 જેટલા ટિફિન મોકલવામાં આવે છે.માત્ર ટિફિન સેવા જ નહી પરતંુ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો પોતાના દિકરા-દિકરીના લગ્ન પૈસા વગર કરી શકતા ન હોય તેની જાણકારી મેળવ્યા બાદ તેમણે સમૂહ લગ્નની શરૂઆત કરી અને 2005થી શરૂ કરેલી સમુહલગ્ન કાર્યક્રમમા અત્યારસુધી 550થી વધુ યુવક-યુવતિના લગ્નો તેઓ કરાવી ચૂકયા છે. સમુહ લગ્નમાં આવતા દરેક દંપતિને દાગીના, મંગળસુત્ર, રાચરચીલુ પણ આપવામા આવે છે. સાથે તેમના દ્વારા એક આંચલ પ્લેગૃપ પણ ચલાવવામાં આવે છે. જેમા 88 જેટલા જરૂરિયાતમંદ બાળકો આશરો લઇ રહ્યા છે. આ સેવાના કારણે અંતરીયાળ વિસ્તારમાંથી આવતા દર્દીઓે રાહત થઇ રહી છે. વિવિધ સંસ્થાઅો, સામાજીક કાર્યકરો તથા રાજકીય કાર્યકરો આ કામગીરીે બિરદાવી રહ્યા છે. પ્રજ્ઞાબેન રાજાએ વાતચિતમાં જણાવ્યંુ કે ગરીબો અને જરૂરિયામંદોની સેવામાં મળતુ સુખ જીંદગીમાં સતત મને સેવાકિય કાર્યો કરવા પ્રેરે છે. જલારામ ટ્રસ્ટિ અને દેવેન ટ્રસ્ટનાં નેજા હેઠળ કરાતા કાર્યોની સુવાંસ ફેલાતા દાનવીરો દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે મારી અંતિમ ઇચ્છા છે કે સેવાકિય પ્રવૃતિ કરતા કરતા મારી આંખો મિચાઇ.(Courtesy : Divya Bhaskar)

No comments: