Monday, April 27, 2015

રઘુવંશી સંસ્‍થાઓ દ્વારા ૧૭મી એ વિનામૂલ્‍યે થેલેસેમીયા પરીક્ષણ કેમ્‍પ www.lohanavaivisal.org www.lohanayuvakpragtimandak.blogspot.com www.ashokhindocha.blogspot.com www.lohanamahaparishad.org www.lohanamahaparishadnews.blogspot.com M-94262-01999/94262-54999 hindochaashok@gmail.com

રઘુવંશી સંસ્‍થાઓ દ્વારા ૧૭મી એ વિનામૂલ્‍યે થેલેસેમીયા પરીક્ષણ કેમ્‍પ
www.lohanavaivisal.org
www.lohanayuvakpragtimandak.blogspot.com
www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishad.org
www.lohanamahaparishadnews.blogspot.com
M-94262-01999/94262-54999
hindochaashok@gmail.com



રાજકોટ :  સમગ્ર વિશ્વમાં વસતા ૨૫ લાખ જેટલા રઘુવંશીઓની માતૃ સંસ્‍થા લોહાણા મહાપરિષદની અમદાવાદ ખાતે યોજાયેલી બારમી કારોબારી કમિટિની બેઠકમાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને તા. ૮ ના વિશ્વ થેલેસમીયા દિવસના અનુસંધાને સમગ્ર ભારતમાં અને વિશ્વના અન્‍ય દેશોમાં મહાજન સંસ્‍થાઓ દ્વારા થેલેસેમીયા મહાઅભિયાનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જે અનુસંધાને તાજેતરમાં લોહાણા મહાપરિષદના ટ્રસ્‍ટી તથા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ ડો. હર્ષદભાઈ ખખ્‍ખરના અધ્‍યક્ષ સ્‍થાને કેશરીયા લોહાણા મહાજનવાડી કાલાવડ રોડ રાજકોટ ખાતે મહાજનના તમામ હોદેદારો, મહાપરિષદના હોદેદારો, રઘુવંશી સમાજની તમામ સંસ્‍થાના પદાધિકારીઓની બેઠક યોજી તા. ૧૭મે ના રવિવારે સમગ્ર સૌરાષ્‍ટ્ર-રાજકોટ તથા આજુબાજુના શહેરોમાં વિનામૂલ્‍યે થેલેસેમીયા ચેકઅપ મેગા કેમ્‍પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. થેલેસેમીયા ટેસ્‍ટ ખૂબ ખર્ચાળ ગણાય છે, પરંતુ મહાપરિષદના આર્થિક સહયોગથી તથા ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્‍ય શાખા - અમદાવાદ તરફથી આ ટેસ્‍ટ માટે તમામ વ્‍યવસ્‍થા રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશીઓની તમામ સંસ્‍થાઓના સંકલન દ્વારા કરવામાં આવશે. કાલાવડ રોડ પરથી કેશરીયા લોહાણા મહાજનવાડી તથા સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી ખાતે ૧૭ મેના રવિવારે તમામ વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ૪ કેટેગરીઓ માટે વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ માટેનું રજીસ્‍ટ્રેશન ફોર્મ રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશીઓની તમામ સંસ્‍થાએથી મળી શકશે. ટેસ્‍ટ કરાવનારે જે તે વિસ્‍તારમાં આવેલ રઘુવંશીની સંસ્‍થાના પ્રમુખ - મંત્રી તથા હોદેદારોનો સંપર્ક કરવાનો રહેશે. સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ મહાજનો તથા સંસ્‍થાઓ પણ આ કાર્યમાં જોડાઈ શકશે. જે માટે લોહાણા મહાપરિષદના હોદેદારોએ તથા રાજકોટ લોહાણા મહાજનના હોદેદારોનો સંપર્ક કરવાથી વિશેષ માહિતી મળી શકશે.

ડો. હર્ષદભાઈ ખખ્‍ખર ટ્રસ્‍ટી લોહાણા મહાપરિષદ તથા પ્રમુખ રાજકોટ લોહાણા મહાજનના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલી મીટીંગમાં મહાપરિષદના ટ્રસ્‍ટી વીણાબેન પાંધી, ડો. રમેશભાઈ ભાયાણી (અધ્‍યક્ષ-થેલેસેમીયા સમિતિ), ડો. નીતિનભાઈ રાડીયા (અધ્‍યક્ષ આરોગ્‍ય સમિતિ) રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો ચંદ્રકાંતભાઈ તન્ના, રીટાબેન જોબનપુત્રા, શૈલેષભાઈ જે. ગણાણા, રમેશભાઈ ચોલેરા, રઘુવંશી સંસ્‍થાઓના હોદેદારો યોગેશભાઈ જસાણી, અશોક હિન્‍ડોચા, ભૂપેન્‍દ્ર કોટક, પ્રકાશભાઈ ઠક્કર, રમેશભાઈ ચોલેરા, જશુબેન વસાણી, મીનાબેન જસાણી, રંજનબેન પોપટ, દમયંતીબેન તન્ના, નીલમબેન કારીયા, છબીલભાઈ નથવાણી, રમણભાઈ કોટક, બીપીનભાઈ પલાણ, ગીરીશભાઈ મોનાણી, ડો. સીતાંશુભાઈ પુજારા, નલીનભાઈ પોપટ, સુરેશભાઈ કાથરાણી સહિત અનેકવિધ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. લોહાણા મહાપરિષદ પ્રોફેશ્નલ કમિટિ દ્વારા થેલેસેમીયા નાબુદી અંતર્ગત ચિત્ર સ્‍પર્ધા રાખેલ હોય થેલેસેમીયાના સંદેશ સાથે એ-૩ સાઈઝના ડ્રોઈંગ પેપરમા પેન્‍સિલથી સ્‍કેચ કરી, વોટર-પેન્‍સીલ કલરનો ઉપયોગ કમ - આ ચિત્ર કોઈપણ રઘુવંશી ૨૦ મે ૨૦૧૫ સુધીમા જે તે મહાજન સંસ્‍થાના સંદર્ભ સાથે મહાપરિષદની અમદાવાદ ઓફિસે મોકલી શકશે. ૧૦ શ્રેષ્‍ઠ સ્‍પર્ધકોને સન્‍માનીત કરવામાં આવશે તથા પુરસ્‍કૃત કરવામાં આવશે. વિસ્‍તૃત માહિતી માટે રાજકોટ લોહાણા મહાજનની ઓફિસ રઘુવંશીઓની તમામ સંસ્‍થાઓ તથા લોહાણા યુવક પ્રગતિ મંડળ સાંગણવા ચોક, રાજકોટની ઓફિસનો રૂબરૂ અથવા ફોન પર સંપર્ક કરી માહિતી મેળવી રજીસ્‍ટ્રેશન થઈ શકશે.
www.lohanavaivisal.org
www.lohanayuvakpragtimandak.blogspot.com
www.ashokhindocha.blogspot.com
www.lohanamahaparishad.org
www.lohanamahaparishadnews.blogspot.com
M-94262-01999/94262-54999
hindochaashok@gmail.com

No comments: